મૃત્યુ અંગે થોડા ક્વૉટેશન્સ રજુ કર્યા છે..
- કોઈ માણસ પોતાના મૃત્યુના સત્યને અવગણી ન શકે. શી ખાત્રી એ આ એનો છેલ્લો દિવસ નહિ હોય?
-સીસેરો - જો કોઈ મને કોઈ બારીમાંથી રાઈફલ વડે શૂટ કરવા માગતુ હોય, તો તેને કોઈ નહિ રોકી શકે. તો પછી એની ચિંતા શીદ કરવી?
-પ્રમુખ જ્હોન એફ. કેનેડી (તેમની હત્યાના આગલા દિવસે) - મૃત્યએ કાળું ઊંટ છે જે ક્યારેક ને ક્યારેક દરેક માનવીના ઘરે આવીને બેસે છે.
-ટર્કીશ કહેવત - જે મૃત્યુથી ડરે તે જીવન ક્યાંથી માણે?
-સ્પેનીશ કહેવત - એવી રીતે જીવો કે જેથી લોકો તમને શ્રદ્ધાંજલી આપતી વખતે સાચું બોલી શકે.
-અજ્ઞાત - કામ કરતાં ચિંતા વધુ લોકોને મારી નાખે છે, કારણ કે કામ કરવાવાળા કરતાં ચિંતા કરવાવાળા લોકો વધારે છે.
-રોબર્ટ ફ્રોસ્ટ - એ વ્યક્તિને આ વિશ્વ શા કામનું, જેની પત્ની એક વિધવા છે?
-આઈરીશ કહેવત - જીવનને હળવાશથી લેવું; આમેય તમે એમાંથી જીવતા બહાર નીકળવાના નથી.
-કાર્લ ડગ્લાસ - મૃત્યુ બેન્ડવાજા સાથે નથી આવતું.
-ડેનીશ કહેવત - મૃત્યુ એ ગરીબોનો ડૉક્ટર છે.
-જર્મન કહેવત.
(પીટર પોટર દ્વારા સંપાદિત “All About Death” માંથી)
થોડુંક દોઢ ડહાપણ મારા તરફથી
* ઘણાં લોકો જીવતાં હોય તો યે મરેલા જેવા હોય છે, ઘણાં મરીને પણ જીવતાં હોય છે.
* મૃત્યું જો અનિવાર્ય છે તો પછી શૂદ્ર મોજ-શોખો માટે જીવવા કરતાં કશાંક ઉચ્ચ ધ્યેય અર્થે શા માટે ન જીવવું ?
* જો મૃત્યુ ન હોય તો જીવનની સુંદરતા પણ ન હોત. ખખડી ગયેલ શરીરે જીવવા કરતાં કીલકીલાટ કરતાં બાળક સ્વરૂપે ફરી જન્મ લેવો વધુ આનંદદાયક નથી શું?
* મૃત્યું સમયે બે પ્રકારની ઉક્તિ હોય શકે
૧. ફુલ ગયું ને ફોરમ રહી (સાર્થક મૃત્યું) 😦
૨. ઝાડ ગયું ને જગ્યાં થઈ (????) 🙂
રસપ્રદ ઉમેરો, અતુલભાઈ, આભાર.
જયભાઈ સરસ માહિતી સંકલિત કરીને મૂકી છે , વધુ માહિતી પણ મુકશો . અતુલભાઈ નો ઉમેરો પણ રસપ્રદ છે .
આભાર રૂપેનભાઈ..
આપણું લખાણ કોઈ વાંચે તે ગમે..અને એના પર કોઈ કોમેન્ટ કરે તો તો ખૂબ આનંદ થાય. માત્ર સારૂં જ નહિ, ભૂલો પણ દેખાડતા રહેજો.
જય
એવી રીતે જીવો કે જેથી લોકો તમને શ્રદ્ધાંજલી આપતી વખતે સાચું બોલી શકે.
Nice Quotation.
ખૂબ આભાર.
આશા છે કે મારો બ્લોગ આપની મલાકાતો પામતે રહે.